News of Tuesday, 20th April 2021
કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચના અનુભવને ધ્યાને લઈને ૬૦ દિવસ માટે મોરબીમાં ખાસ ફરજ ઉપર પ્રતિનિયુકિત
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: મોરબીમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઇને કચ્છના સિવિલ સર્જન ને ખાસ કાર્યભાર સંભાળવા નિયુક્ત કરાયા છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ આ ખાસ ઓર્ડર અનુસાર કચ્છના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચને ૬૦ દિવસ માટે મોરબીની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે પ્રતિ નિયુક્તિ ફરજ બજાવવા આદેશ કરાયો છે. તેમના સ્થાને કચ્છમાં સિવિલ સર્જન તરીકે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. એસ.કે. દામાણી ને કાર્યભાર સોંપાયો છે.
(11:40 am IST)