સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

ઇકોઝોનની ભેટ આપનારા ભાજપે મતની આશા રાખવી નહીં: તાલાલાના ૩૦થી વધુ ગામડાઓમાં બેનર લાગ્યા

વેરાવળ, તા.૨૦: ગીર સોમનાથના તાલાલાના ૩૦થી વધુ ગામડાઓમાં ભાજપ વિરૂધ્ધ બેનર લાગ્યા છે. ઇકોઝોનની ભેટ આપનારા ભાજપ સામે બદલો લેવા અને ઇકોઝોનની ભેટ આપનારા ભાજપે લોકસભાની ચૂંટણીમાં મતની આશા રાખવી નહીં તેવું લખાણ સાથેના બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યા છે. જન અંધિકારમંચ દ્વારા લગાવવામાં આવેલા બેનરો લોકચર્ચાએ ચડયા છે. ભાજપે ગીર પંથકને ઇકોઝોનમા઼ લાવીને સ્થાનિકોને તેમના અધિકારીઓ વંચિત કર્યાના આક્ષેપો થતા રહે છે. લોક અધિકાર મંચ ગીરના તમામ ગામડામાં ભાજપનો વિરોધ કરશે તેમ ખેડૂત પ્રવિણ રામે કહ્યું છે.

(3:49 pm IST)