પોરબંદર ખારવા સમાજ દ્વારા ભાજપને સમર્થનઃ ખારવાવાડમાં વિશાળ રેલી નિકળી
પોરબંદર, તા., ૨૦: ખારવા સમાજના આગેવાનોની મળેલી મીટીંગમાં ખારવા સમાજ દ્વારા ચુંટણીમાં ભાજપને સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોરબંદર લોકસભા બેઠક ઉપર ચુંટણી લડતા રમેશભાઇ ધડુકના ટેકામાં ખારવા સમાજની વિશાલ રેલી ખારવાવાડમાંથી નીકળી હતી.
રાજયસભાના સાંસદ ચુનીભાઇ ગોહેલના નેતૃત્વમાં ખારવા સમાજની સમસ્યા નવુ ફેઇઝ-ર બંદર ડ્રેજીંગ વિગેરે જેવા મહત્વના પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાત્રી આપેલ હતી. તે બદલ ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ઉમેદવાર રમેશભાઇ ધડુકના પુત્ર સાવનભાઇ ધડુક, રાજભા જેઠવાવિગેરે સમસ્ત ખારવા સમાજની પંચાયત મંદિર મઢીમાં પધારેલ. જેમનું વાણોટશ્રી ઉપપ્રમુખશ્રી તથા પંચ પટેલ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા હાર પહેરાવી અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરેલ હતું. મીટીંગમાં સમસ્ત ખારવા સમાજ અંતર્ગત વિવિધ એસોસીએશન અને સંસ્થાઓએ ભાજપના લોકસભાના ઉમેદવાર રમેશભાઇ ધડુકને ટેકો આપવાનું જાહેર કરેલ છે. પોરબંદર સમસ્ત ખારવા સમાજનો ભાજપનો ખુલ્લો ટેકો જાહેર કરેલ અને હજારોની સંખ્યામાં ખારવા સમાજના ભાઇઓ અને બહેનોએ ખારવા વાડમાં વિશાળ રેલી નિકળી હતી.