ભાજપ નથી ઈચ્છતુ કે ૨૫ વર્ષનો યુવક ખેડૂતો માટે લડે, આજેય મને મારશેઃ હાર્દિક પટેલ
હુમલા બાદ પણ મોરબીમાં સભા સંબોધીઃ આજે અમદાવાદ અને કચ્છના પ્રવાસે કોંગ્રેસના સ્ટાર પ્રચારક
રાજકોટ, તા. ૨૦ :. ગઈકાલે સુરેન્દ્રનગરના બલદાણામાં હાર્દિક પટેલને તરૂણ ગજ્જર નામના શખ્સે લાફો ઝીંકી દેતા ખળભળાટ મચી ગયો છે. લાફાની ઘટના બાદ હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી માટેનુ પ્રચાર કાર્ય યથાવત રાખ્યુ છે.
હાર્દિક પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગઈકાલે સાંજે ગીર સોમનાથ પંથક અને મોરબીમાં જાહેરસભા સંબોધી હતી. લોકોને કોંગ્રેસ ઉપર પુરતો વિશ્વાસ છે. હાર્દિક પટેલે જણાવ્યુ કે, ભાજપ નથી ઈચ્છતુ કે ૨૫ વર્ષનો યુવક ખેડૂતો માટે લડે, આજેય મને મારશે તેમ કહીને હાર્દિક પટેલે કહ્યુ હતુ કે, ભાજપ દ્વારા આવા હુમલા થતા રહેશે પરંતુ ભય વગર લોકો માટે હું લડતો રહીશ.
હાર્દિક પટેલ આજે ગાંધીનગર, કચ્છ અને અમદાવાદ ખાતે જાહેરસભા સંબોધશે અને કોંગ્રેસનો પ્રચાર કરશે.