સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

બોટાદના તરઘડાના ધીરૂભાઇ પ્રજાપતિનો કેન્સરની બિમારીથી કંટાળી જઇ આપઘાત

રાજકોટ તા. ૨૦: બોટાદના તરઘડા ગામે રહેતાં ધીરૂભાઇ ગોરધનભાઇ પરમાર (ઉ.૪૮) નામના પ્રજાપતિ આધેડે ગત બપોરે ત્રણેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે પાળીયાદ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ધીરૂભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને સંતાનમાં ત્રણ પુત્ર છે. કેન્સરની બિમારીથી કંટાળી જઇ તેણે આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. પાળીયાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:15 pm IST)