News of Saturday, 20th April 2019
ઉનાના વડવીયાળામાં પરિણીતા ઉપર દુષ્કર્મ કરીને પતિ અને બાળકોને ધમકી આપી
ઉના તા.૨૦: તાલુકાનાં વડવીયાળા ગામે પરિણીતાનો એકલતાનો લાભ લઇ તેજ ગામના યુવાને દુષ્કર્મ કરી ત્યારબાદ બાળકોને તથા પતિને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ વારંવાર કરતો હોવાની ફરિયાદ દાખલ કરાઇ છે.
વડવીયાળા ગામે રહેતી રપ વર્ષની પરિણીતા ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ તે જ ગામનો કિશોર અરજણ ભાઇ સાંખટ રે. વડવીયાળા વાળો ઘરમાં ઘુસી પરણીતાની સાથે બળજબરીથી મરજી વિરૂદ્ધ બળાત્કાર કરી (દુષ્કર્મ) કરી ને ચાલ્યો ગયો હતો ત્યારબાદ તેમના બાળકો અને પતિને મારી નાખવાની ધમકી આપી છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ (બળાત્કાર) કરતો હોય તેથી કંટાળી ઉના પોલીસમાં કિશોર અરજણ સાંખટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
(12:14 pm IST)