સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

પોરબંદર અને છાંયામાં લલીતભાઇ વસોયાના સમર્ર્થનમાં સાંજે નવજોતસિંહ સિંધુની જાહેરસભા

પોરબંદર, તા., ર૦: પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ વસોયાના સમર્થનમાં પોરબંદર અને છાંયામાં ર જાહેરસભા સંબોધવા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોધસિંહ સીંધુ સાંજેઆવી રહયા છે.

પોરબંદરના છાંયામાં દેવજી ચોક ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે નવજોતસિંહ સીંધુ જાહેરસભાને સંબોધશે ત્યાર બાદ પોરબંદરના ચુનાનાભઠ્ઠા પાસે સાંજે ૭.૩૦ વાગ્યે જાહેરસભાને સંબોધન કરશે. જાહેરસભાઓમાં પુર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તથા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહયા છે.

(12:13 pm IST)