ATM કાર્ડ કાઢવાના બહાને ૪૫ હજારની ઉઠાંતરીઃ સુરેન્દ્રનગરના નિવૃત્ત્। પોલીસ કર્મચારી જ લૂંટાયા બેંકનો મેસેજ આવતા બનાવની જાણ થઈ
વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછળ નિર્મળનગરમાં રહેતા ગંગારામભાઇ નભાણી સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવી ૧૩ વર્ષ પહેલા નિવૃત્ત્। થયા હતા. ૧ એપ્રિલે બપોરના સમયે તેઓ વાદીપરા એસબીઆઇના એટીએમમાં પેન્શનના પૈસા જમા થયા કે નહીં તે જોવા ગયા હતા. આ સમયે કાનમાં બુટી પહેરેલા એક અજાણ્યા શખ્સે લાવો તમારૂ એટીએમ કાર્ડ, પૈસા કાઢી આપુ કહીને ગંગારામભાઇનું એટીએમ કાર્ડ લીધુ હતું. જેમાં ગંગારામભાઇએ રૂપિયા ૫૦૦ ઉપાડ્યા હતા. જેમાં ગંગારામભાઇએ જ પાસવર્ડ નાંખ્યો હતો. ત્યારબાદ નજર ચૂકવી અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ બદલાવી નાંખ્યુ હતું. ગંગારામભાઇ ઘેર પહોંચ્યા બાદ તેમના ખાતામાંથી રોકડા રૂપિયા ૨૦ હજારનું વીથડ્રો થયાનો અને ૧૮ હજાર નીલેશભાઇ મનુભાઇના ખાતામાં તથા ૭ હજાર હસમુખભાઇ ખાતામાં ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો.