News of Saturday, 20th April 2019
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિરે ભક્તોનો ઘોડાપુર ;વહેલી સવારથી ભાવિકો ઉમટ્યા
મંદિરના દરવાજો ખુલતા દાદાના દર્શન માટે પડાપડી હનુમાનજી જયંતી પર્વે આખો દિવસ મંદિર ખુલ્લુ
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિર ખાતે હનુમાન જયંતીને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે લોકોની પડાપડી જોવા મળી છે. હનુમાન જયંતીને લઈ આજે મંદિરમાં અલગ અલગ પ્રકારના આયોજન કરાયા છે.
સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે સવારથી દાદાના દર્શન માટે ભક્તોની લાઇન જોવા મળી હતી. જેવા મંદિરના દરવાજો ખૂલ્યા કે, લોકો દાદાના દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા. આજે હનુમાનજી જયંતી હોઈ આખો દિવસ મંદિર ખુલ્લુ રહેવાનું છે.
(12:26 am IST)