સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st March 2023

ધોરાજીમાં માવઠું:ખેડૂતોના ઘઉં અને ધાણાના ઊભા મોલમાં નુકશાની

ધોરાજી:-ધોરાજીમાં સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડુતો માથે જાણે આફત સર્જાઈ હતી. કમોસમી વરસાદથી હાલ ઘઉં અને ધાણાના ઊભા પાકમાં ભારે નુકસાની થઈ હોવાની વિગતો બહાર આવી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવી પડી રહી છે

(11:42 pm IST)