સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th March 2020

જુનાગઢ-જામનગરમાં સાંજથી ૧૪૪ની કલમ લાગુઃ ભવનાથમાં પ્રવાસીઓને ન આવવા આદેશ

જુનાગઢ-જામનગર, તા., ૨૦: કોરોના વાયરસ ધીમે ધીમે પ્રસરી રહયો છે ત્યારે જુનાગઢ કલેકટર તંત્ર પણ તેની સામે સજ્જ થયું છે અને આજે સાંજથી જુનાગઢમાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવશે.

 કલેકટર ડો.પારધીએ પત્રકારોને જણાવ્યુ઼ હતું કે ભવનાથ વિસ્તારમાં પ્રવાસીઓને તેમજ શહેરીજનોને એકત્ર ન થવા તેમજ પાનના ગલ્લા પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

 જામનગરમાં પણ તકેદારીના ભાગરૂપે આગામી ૧૦ દિવસ માટે ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત એક સાથે ૪ વ્યકિતઓને એકત્ર થવા ઉપર પ્રતિબંધ  મુકવામાં આવ્યો છે.

(4:57 pm IST)