સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

દ્વારકાઃ સ્વામિનારાયણ ધામની ૩પ વર્ષથી ફુલડોલ ઉત્સવ યાત્રીકો માટે અવિરત સેવા

દ્વારકા તા.ર૦: ગુજરાત રાજયના છેવાડાના વિસ્તારોમાંથી ધુળેટી પર્વ નિમીતે દ્વારકા જગત મંદિરે હજારો પદયાત્રીકો પગપાળા ચાલીને ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવે છે.

આવા પદયાત્રીકો માટે ચરકલા માર્ગ પર આવેલસ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા ૩પ વર્ષથીફુલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીકો માટે નિશુલ્ક ભોજન પ્રસાદની અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

મંદિરમાં પદયાત્રીકો માટે ભોજન ઉપરાંત રહેવાની ચા-પાણી નાસ્તો તથા નહાવાની સુવિધા પણ અપાય છે.

હાલ ગોવિંદપ્રસાદજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. દરરોજ હજારો પદયાત્રીકો પ્રસાદનો લાભ લે છે. (૧૧.૪)

(12:08 pm IST)