News of Wednesday, 20th March 2019
ભાવનગરમાં યુવાન અને આધેડના આપઘાત
ભાવનગર તા.૨૦: ભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને તથા આધેેડે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા વહોરી લીધી હતી.
અપમૃત્યુનાં પ્રથમ બનાવમાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં બંબાખાનાની પાછળના ભાગે રહેતા સોહમભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ ઉ.વ.૨૮ એ તેનાં ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજયું હતું.
જયારે બીજા બનાવમાં શહેરનાં આનંદનગરમાં રહેતા મનુભાઇ ભુરાભાઇ ડાખરા ઉ.વ.પપ એ તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેેને બેભાન હાલતે અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.(૧.૧૦)
(12:02 pm IST)