સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

કાલાવડમાં આગઃ ૩૦ ઝૂંપડા સળગી ગયા

જામનગરઃ કાલાવડમાં મંગળવારે સાંજના સમયે આશરે ૩૦  જેટલા ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ઝૂંપડાના રહેવાસીઓમાં ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં કોઇ પણ જાનહાનીના અહેવાલ મળી રહ્યા નથી. પરંતુ ઝૂપડાઓમાં રહેતા લોકોની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ફાયરની ટીમ દ્વારા આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

(11:57 am IST)