સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

પોરબંદરના સ્વામિનારાયણ મંદિરે રસિયા ઉત્સવ :મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

સંગીતકાર મહેશ ગાલોરિયા તથા ચેતનાબેન તન્નાએ ગીતો પ્રસ્તુત કર્યા : ગુલાબની પાંખડી અને ચોકલેટનો પ્રસાદ વિતરણ

પોરબંદર:પોરબંદરના સત્યનારાયણ મંદિરે હોળી પર્વે "રસિયા ઉત્સવ"નું આયોજન કરાયું હતું  જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા .

પોરબંદરના સત્યનારાયણ મંદિરે સવારે “રસિયા ઉત્સવ” ઉજવાયો હતો જેમાં હજારો વૈષ્ણવ સમાજના લોકોએ લાભ લીધો હતો. આ રસિયા ઉત્સવમાં ગુલાબની પાંખડી અને ચોકલેટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો
    ઉત્સવ દરમિયાન સંગીતકાર મહેશ ગાલોરિયા તથા ચેતનાબેન તન્નાએ ગીતો પ્રસ્તુત કર્યા હતા આ રસિયા ઉત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને સત્યનારાયણ સેવા મંડળના સૌ સેવકો એ જહેમત ઉઠાવી હતી.

(11:37 pm IST)