મોરબી : પેટ્રોલ,ડીઝલ અને રાંધણ ગેસમાંથી વેટ નાબુદ કરવાની માંગ સાથે સીએમને રજુઆત
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે પેટ્રોલ, ડીઝલ તેમજ ગેસના ભાવો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે.પેટ્રોલે સેન્ચુરી મારી છે. ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકોને પોતાના ઘરનું બજેટ બગડી રહ્યું છે.
લોકોને મોઘવારીનો અસહ્ય માર પડી રહ્યો છે ત્યારે પ્રજાની સુખાકારી અને પ્રજા સારું જીવન જીવી સકે તે માટે પેટ્રોલ,ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાંથી વેટ નાબુદ કરવામાં આવે તો ભાવ પર નિયંત્રણ આવી શકે છે અને પ્રજાને રાહત મળી સકે છે જેથી આ અંગે યોગ્ય વિચારણા કરી રાજયના નાગરિકોને રાહત આપવા માંગ કરવામાં આવી છે.
છત્રપતિ શિવાજીને પુષ્પાંજલિ અર્પી
હિંદુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિતે મોરબી સબ જેલ ચોકમાં આવેલ શિવાજી સર્કલ ખાતેની શિવાજી મહારાજની પ્રતિમા ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહીને શિવાજી મહારાજને હારતોરા કરીને નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.