રન ફોર શહીદ ભગતસિંહ સાયકલ યાત્રાનું લીમડીમાં સ્વાગત
લીંબડી : શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું લીબડીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું
શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ તેમજ ક્રાંતિકારીઓના દિલ્હીમાં સ્મારક બને તેવી ત્રણ માંગો સાથે સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજાઈ છે જે સાયકલ યાત્રા લીંબડી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું
રન ફોર ભગતસિંહ યાત્રા સોમનાથથી શરુ કરવામાં આવી છે અને પાંચ રાજ્યોમાં ફરીને ૧૮૦૦ કિમી અંતર કાપીને દિલ્હી પહોંચશે અને ૨૩ માર્ચ શહીદ દિવસે રાષ્ટ્રપતિને આવેદન આપીને શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવા, શહીદોના સ્મારક બનાવવાની માંગ કરાશે જે સાયકલ યાત્રા લીંબડી આવી પહોંચતા વિવિધ સામાજિક અને રાષ્ટ્રભક્ત સંસ્થાના અગ્રણીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું અને સાયકલ યાત્રા સાથે જોડાયેલ અગ્રણીઓને શુભકામનાઓ પાઠવી હતી