News of Wednesday, 20th February 2019
વડિયામાં શહિદ જવાનોને શ્રદ્ઘાંજલી
વડિયાઃ સુરગવાળ સાવજને હાઈસ્કૂલ ખાતે પુલવામા વિર જવાનો શહિદ થયા તેને શ્રધ્ધાંજલી અર્પણ કરવા કાર્યક્રમ કરવામાં આવેલ જેમા વડિયા શહેરના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડિયાના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ વડિયા સ્વામી નારાયણ દિવ્યધામ મંદિરના શાસ્ત્રી સ્વામીઆનંદ સ્વામી વેપારીઓ કોંગ્રેસ અગ્રણી ખેડૂતો ગામ અગ્રણી વિનાયક સ્કૂલના બાળકો સ્કૂલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દેશના શહિદ વીર જવાનોને શ્રદ્ઘાંજલી આપી હતી. શ્રદ્ઘાંજલી કાર્યક્રમની તસ્વીર.(૨૩.૩)
(11:57 am IST)