ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવીનું વિર શહિદો માટે અનેરૂ યોગદાન
કાર્યક્રમની એકત્ર રકમ રૂ. ર,પ૧,૦૦૦ દાનમાં આપી
જૂનાગઢ તા. ર૦ :.. સાળંગપુર ખાતે ગુજરાત શિક્ષણ વિભાગ ના વહીવટી કર્મચારી મંડળનું અધિવેશન તાજેતરમાં મળેલ જેમાં ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવીનો કાર્યક્રમ નકકી થયો સ્ટેજ ઉપર જે રૂપિયા થાય તે વીર શહીદોને આપી દેવા તેવુ નકકી કરાયુ હતું.
દેવરાજભાઇએ સ્ટેજ ઉપરથી જાહેરાત કરી આ રકમ મને મળવાની હતી. પણ હવે જે રકમ આવશે તે શહિદોના પરિવારને આપી દેવામાં આવશે આ વાતની અસર એવી થઇ કે રૂ. ર,પ૧,૦૦૦ જેવી માતબર રકમ તમામના સહકારથી થયેલ એ બધા રૂપીયા શહિદ ફંડમાં આપી દિધા હતા. આ કાર્યક્રમ માં જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી એન. કે. મકવાણા વહીવટી સંઘના પ્રમુખ અજીતસિંહ સુરમા સભાપતિ અધર્યુ, મહામંત્રી કિશોરભાઇ ડાંગર સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકોએ શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. (પ-ર૦)