મોરબી પંથકમાં ત્રણ અપમૃત્યુ :યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું :મશીનમાં સાડી ફસાઈ જતા મહિલાનું મોત :રમતા રમતા સીડી પરથી પડી જતા બાળકીનું મૃત્યુ
મોરબી પંથકમાં ત્રણ અપમૃત્યુના બનાવમાં એક બાળકી સહીત ત્રણના મોત નીપજ્યા હતા જેમાં એક યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે જયારે બાળકી અને એક મહિલાના અકસ્માતે મોત નીપજ્યા છે.
મોરબીના રોહીદાસપરા વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર વાલજી ચાવડા (ઉ.વ.૨૦) વાળાએ આજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવ મામલે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર યુવાન બેકારીથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે
જયારે લીલાપર રોડ પર ફેકટ પેપરમિલમાં કામ કરત સનવારિયાબેન ભૈયાલાલ (ઉ.વ.૫૯) મૂળ યુપી વાળા મશીન પર કામ કરતા સાડી ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું તેમજ ત્રીજા બનાવમાં મોરબીના ઉંચી માંડલ નજીકના પનારા સિરામિકમાં કામ કરતા પરિવારની પાંચ વર્ષની દીકરી જેમુબેન સુરેશભાઈ કટારા રમતા રમતા સીડી પરથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.