દિવંગત ધારાસભ્યોને અંતરના ઉંડાણથી શ્રદ્ધાંજલી
ગૃહમાં પ્રથમ દિવસે જ અભ્યાસુ ધારાસભ્ય તરીકે પ્રતિતિ કરાવતા બ્રિજેશ મેરજા
રાજકોટ, તા. ર૦ : ગુજરાત વિધાનસભામાં શોક દર્શક ઠરાવમાં ભાગ લેતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગૃહના પૂર્વ સભ્યો જેવા કે કેન્દ્રના પૂર્વ રાજયકક્ષાના મંત્રીશ્રી ઉત્ત્।મભાઈ પટેલ, પૂર્વ રાજયકક્ષાના ઉદ્યોગ મંત્રી અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો બાબુભાઇ પટેલ(માણસા),શંકરલાલ ગુરૂ(ઊંઝા), વિક્રમભાઈ પટેલ(ચણાસ્મા) અને માંડવી(કચ્છ)ના પૂર્વ ધારાસભ્યશ્રી જયકુમાર સંદ્યવીને વિશિષ્ટ શૈલીમાં અંજલિ અર્પી હતી. આ મહાનુભાવો સાથે પોતાના સ્મરણોને વાગોળીને સંવેદના વ્યકત કરી હતી. આમ વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે એક જાગૃત અને અભ્યાસુ ધારાસભ્ય તરીકેની પોતાની કામગીરીનો ગૃહમાં પડદ્યો પાડ્યો હતો.
શ્રી બ્રિજેશ મેરજા સત્રના આગામી દિવસોમાં પ્રશ્નો અને ચર્ચાના માધ્યમથી વિધાનસભામાં લોકલાગણીને વાચા આપનાર છે. (૯.૭)