સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

બરડા નેસડાના પ્રશ્નો જાણતા કોંગ્રેસના આગેવાનો

પોરબંદર, તા. ર૦: જિલ્લા ના બરડા ડુંગર ની અંદર અનેક નેશમાં રહેતા માલધારીઓ ની જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી હતી જેમ કે સાપરાવારા નેશ, સાતવિરા નેશ,રાણવારા નેશ, ફૂલજર નેશ,ભુખબર નેશ, ખાડાવારા નેશ, કરાવેલ નેશ, બોરીયા નેશ, બંધના નેશમાં જઈ માલધારી સમાજ ની જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મુલાકાત લીધી હતી ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી દ્વારા માલધારીઓને થતો ભાજપ સરકાર દ્વારા અન્યાય  થતો હોય તે માં એલ.આર. ડી., વિ. ડી.સી. કાર્ડ મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી.અને  જૂનાગઢ ની અંદર એક માલધારી એ આત્મહત્યા કરી હતી ત્યારે પોરબંદર ભાજપ ના સાંસદ સભ્ય દ્વારા જૂનાગઢ જઈ આશ્વાસન આપ્યું હતું અને ટૂંક સમયમાં તમોને આદિવાસીઓને  કાર્ડ મળી જાશે તેમ માત્ર આગેવાન મળેલ. હતા. અને માલધારીઓના કહેવાતા આગેવાનો એ ૫ મહિના સુધી આંદોલન કર્યું હતું તેમ છતાં આદિવાસી કાર્ડના આપ્યું આગામી દિવસો માં કોંગ્રેસ પાર્ટીની વિચાર ધારામાં જોડાવાનું આશ્વાસન આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા,રાણાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લાખાભાઈ દાસા, રાણાવાવ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ખિસ્તરીયા,કોંગ્રેસ આગેવાન બધાભાઈ મોરી વગેરે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધે તે તસ્વીરો.

(11:52 am IST)