સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

વીરપુર (જલારામ)માં વીર મહારાણા પ્રતાપસિંહજીને પુષ્પાંજલી અર્પણ

વિરપુર (જલારામ): સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામમાં આજે સ્વામી  વિવેકાનંદ યુવા બોર્ડના યુવાનો તેમજ ક્ષત્રીય રાજપુત સમાજના યુવાનો તથા મેવાડી ગનાર્દી લોહાર સમાજના યુવાનો દ્વારા માતૃભુમીની રક્ષા કાજે જીવન સમર્પિત કરનાર હિંદવા શાલીગ્રામ વીર સપુત ક્ષત્રીય કુલભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીના બલીદાન દિવસ નિમીતે પુષ્પાંજલી અર્પણ કરી વીર મહારાણા પ્રતાપસિંહજીની આરતી ઉતારવામાં આવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર)

(11:52 am IST)