સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જેતપુરમાં રામમંદિર નીધી સમર્પણ કાર્યાલયનું જયેશભાઇ રાદડીયાના હસ્તે ઉદઘાટન

જેતપુરમાં અયોધ્યા  ખાતે ભવ્ય -દિવ્ય રામમંદિર નીર્માણ પામનાર હોય જેમાં કરોડો હિન્દુઓનું યોગદાન હોય તેવા નીર્ધાર સાથે ગઇકાલે સાંજે રામજન્મભુમી નીધી સમર્ણણ કાર્યાલયનું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. જયેશભાઇએ સૌ પ્રથમ પોતાનો ર.પ૧ લાખનો ચેક સમર્પણ નીધીમાં આપેલ.  વર્ષોથી રામ લ્લાના મંદિરની રાહ જોઇ રહયા હતા તે સ્વપ્ન સાકાર થવા જઇ રહયું હોય તમામને આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જયંતીભાઇ રામોલીયાએ રૂ. ૧.પ૧ લાખ, સંજયભાઇ વેકરીયા જય જગદીશ સ્ક્રીન પ્રીન્ટરી તરફથી  ૧.પ૧, સ્વામી નારાયણ મંદિર ગાદી સ્થાન તરફથી પ૦ હજાર સહીત એક જ દિવસમાં કુલ ૧૦ લાખ નીધી એકત્રીત થયેલ. આ પ્રસંગે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જીથુડીના મહંત શ્રીરામરૂપદાસબાપુ, દિનેશભાઇ ભુવા, સુરેશભાઇ સમરેલીયા, ડો.વેકરીયા સહીતની ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન નરેન્દ્ર કોટડીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક દિપકભાઇ ત્રીવેદી સહીતનાએ જહેમત ઉઠાવેલ. (તસ્વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(11:51 am IST)