સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જસદણનાં સામાજીક કાર્યકર અરવિંદ સાસકીયાનું જન્મદિને અવસાન

જસદણ :.. તળપદા કોળી અરવિંદભાઇ બાબુભાઇ સાસકીયા (ઉ.૪પ) તે સ્વ. મનુભાઇ (એવરગ્રીન પાન) ના નાનાભાઇ, ઉમંગભાઇના કાકા, વસંતબેન દિનેશભાઇ વેલાણી, રેખાબેન સંજયભાઇ શેખ (બોટાદ) ના ભાઇનું તા. ૧૯ જાન્યુઆરી ર૦ર૧ ને મંગળવારના રોજ જસદણ મુકામે નિધન થતાં તેમનાં બહોળા મિત્ર મંડળમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે.

સદ્્ગતના મોટા ભાઇ મનુભાઇના નિધનના સમાચારની હજુ શાહી સુકાય નથી ત્યારે ૧૮માં દિવસે અરવિંદભાઇનું નિધન થયું હતંુ જોગાનુજોગ મંગળવારે જ મૃત્યુના દિવસે અરવિંદભાઇનો જન્મ દિવસ હતો તેમનાં આ નિધનથી કોળી સમાજ અને સાસકીયા પરિવારમાં શોકની કાલીમાં છવાય છે.

(11:50 am IST)