News of Wednesday, 20th January 2021
વકતા જય વસાવડાના ઘેર પાટીલ અને ડો.બોઘરા
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રવિવારે કાર્યક્રમોની અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને ગુજરાતના જાણીતા લેખક અને વકતા જય વસાવડાને ત્યા પહોચી ગયા હતા અને સાહિત્યરસિક વાતો મમળાવી છુટ્ટા પડયા હતા. આ તકે એમની સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા, જસદણના પુર્વ ડાયનેમિક ધારાસભ્ય અને હાલ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરતભાઇ બોઘરા, પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પુર્વે રાજકોટમાં જ યોજાયેલ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમોમાં પેજ પ્રમુખો અણુબોમ્બની જેમ ફાટશે એવા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા બાદ જયવસાવડાના ફલેટ પર પધારી સાહિત્યની વાતો શ્રી પાટીલએ કરી જય વસાવડા સાથે જૂના સંબંધો જાળવી રાખ્યો હતો.
(10:31 am IST)