સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th January 2020

પૂ.જેન્તિરામબાપાએ આશિર્વાદ વરસાવ્યા

 રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાન અને પ્રથમ હરોળના ધારાશાસ્ત્રી અભયભાઇ ગણપતરામ ભારદ્વાજ અનેશ્રીમતી અલ્કાબેનની સુપુત્રી ચિ.અમૃતાના શુભલગ્ન શ્રી મુકેશભાઇ પ્રદ્યુમનભાઇ મહેતા અનેશ્રીમતી સ્મિતાબેનના સુપુત્ર ચિ.કાર્તિકેય સાથે તા.૧૮ને શનિવાર સીઝન્સ હોટલ અવધ રોડ કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાયા હતા. જેમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ધુનડા સતપુરણધામના, પુ.જેન્તિરામબાપા, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, સહિત સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઇ જોષી સહિતના અસંખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા ભોજન લઇ મોડે સુધી રોકાણ કર્યુ હતું આ તકે ધુનડા સત પુરણ ધામ આશ્રમના સંસ્થાપક પુ જેન્તિરામ બાપાએ પણ નવદંપતિને આશિર્વાદ પાઠવ્યા હતા પુ.જેન્તિરામબાપાએ શ્રી હરિ ભગવાન નામનુ ઉપવસ્ત્ર ઓઢાડી સન્માનીત કરી હૃદયના ભાવ સાથે આર્શિવાદ આપ્યા હતા. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા - જુનાગઢ)

(11:40 am IST)