સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

સુરેન્દ્રનગર શહેરમાં નશાખોર શખ્સોએ આતંક મચાવ્યો વેપારીને માર મારીને દુકાનના કાચ ફોડયા

વઢવાણ તા.૧૯: સુરેન્દ્રનગર શહેરમાં કાયદો-વ્યવસ્થા જગ જાહેર માં ધજાગરા બોલાવતા હોવાનો બનાવ બહાર આવ્યો છે સુરેન્દ્રનગર શહેરના એસી ફુટ રોડ ઉપર વેપારીને નશાખોરો એ નશાની હાલતમાં માર મારીને દુકાનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે

સુરેન્દ્રનગર શહેરના ઠંડા પીણાની દુકાન પાસે દારૂના નશામાં ત્રણ શખ્સો જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને જાગતા બન્યા હતા ત્યારે આ વેપારીએ ત્યાંથી આગળ જવા માટે જણાવતા આ ત્રણ શખ્સો રોડ ઉપર પડેલા ભાણવારી કરીને શું કેસ ના કાચ અને વેપારીને ઇજા પહોંચાડી હતી ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ ઉપર રણજીત નગરમાં રહેતા ગજેન્દ્રસિંહ કરણસિંહ પરમાર અલ્ટ્રાવિઝન સ્કૂલ ની પાસે પોતાની હર શકિત નામની ઠંડા પીણાની દુકાન ધરાવે છે

ત્યારે સ્વીફટ ગાડી માં આવીને આ દુકાન પાસે નશાની હાલતમાં એલફેલ બોલતા તેમને ટપારતા આ શખ્સોએ ગજેન્દ્રસિંહ એલફેલ બોલી ને ઝઘડો કરી સોકેસ ના કાચ ફોડીને નુકસાન કર્યું હતું જ્યારે ગજેન્દ્રસિંહસિંહ ને પણ માર મારીને ઇજા પહોંચાડી હતી જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં ગજેન્દ્રસિંહ સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે ગજેન્દ્રસિંહ તોડફોડ કરી ઇજા પહોંચાડવા અંગે વઢવાણ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ વિજયભાઈ લાલાભાઇ આલ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાવેલ છે હાલ તપાસ વઢવાણ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

(1:11 pm IST)