સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

બેસણામાં ગયેલા બાંટવાના પરિવારના બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ

સામાન વેરવિખેર કરી રૂ. ર૦ હજાર ચોરી ગયા

જુનાગઢ તા. ૧૯: માણાવદર નજીકનાં બાંટવા ખાતે આશિર્વાદ સોસાયટીમાં રહેતા રજનીકાંત ઉર્ફે રાજુભાઇ ચુનીલાલ જોશી તેમના પરિવાર સાથે તા. ૧૭ની સાંજે કેશોદ ખાતે બેસણામાં ગયા હતા.

ત્યારે આ વિપ્ર પરિવારનાં બંધ મકાનની પાછળથી રસોડાનાં દરવાજામાં કાણુ પાડી બારણાનો નકુચો ખોલી તસ્કરો પ્રવેશ્યા હતા.

બાદમાં ઘરનો સામાન વેરવિખેર કરી કબાટમાં રાખેલ રૂ. ર૦ હજારની રોકડ ચોરીને તસ્કરો નાસી ગયા હતા.

ગઇકાલે રાત્રે ૯ વાગ્યે પરત ફરતાં રજનીકાંત જોશીને તેમનાં ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું.

આ અંગેની જાણ થતાં બાંટવાનાં પી.એસ.આઇ. એ. કે. પરમાર તાત્કાલિક સ્ટાફ સાથે દોડી ગયા હતા અને ફરિયાદ લઇ ચોરીની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

(1:04 pm IST)