સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ઋષિવંશી સમાજ આયોજીત નાભિક પુરાણકથાનું સમાપન

ભાવનગર : જામનગરમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક પ્રમુખ હેમરાજભાઇ પાડલીયાના માર્ગદર્શન હેઠળ જામનગરના ઋષિવંશી સમાજના આંગણે નાભિક પુરાણની કથાનુ મહાત્મનું આયોજન ગુલાબનગર ખાતે કરાયેલ. કથાનુ રસપાન વિજયભાઇજી દ્વારા કરવામાં આવેલ. આ કથાનો લાભ ઋષિવંશી સમાજના લોકોએ બહોળી સંખ્યામાં લીધેલ. તેમજ હેમરાજભાઇએ તમામ ઋષિવંશીઓની ચિંતા કરતા કથા દરમિયાન આયુષ્યમાન કાર્ડ તથા સુકન્યાનો લાભ લેવા દરેક ઋષિવંશીઓેને અનુરોધ કરી સમાજના લોકો માટે વિનામુલ્યે વિમાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. સમગ્ર આયોજનમાં ઋષિવંશી સમાજ જામનગરના પ્રમુખ નવનીતભાઇ ઝાલા તથા તેમની ટીમ તથા ગુલાબનગર વાળંદ યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી)

(11:55 am IST)