અમરેલી જિલ્લા તંત્રી સંઘનું સ્નેહમિલન : હોદ્દેદારોની વરણી
અમરેલી : પ્રેસ ડેના દિવસે અમરેલી જિલ્લા તંત્રી સંઘનું સ્નેહમિલન યોજાયુ હતુ અને નવા હોદ્દેદારોની વરણી કરાઇ હતી તથા અમરેલી જિલ્લા તંત્રી સંઘના સદસ્યોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. અમરેલી જિલ્લાતંત્રી સંઘના કન્વીનર પદે ભરતભાઇ ચૌહાણની વરણી કરાઇ હતી. જિલ્લાતંત્રી સંઘની બેઠકમાં વરીષ્ઠ તંત્રી ભરતભાઇ ચૌહાણે જિલ્લા તંત્રી સંઘના પ્રમુખ તરીકે હીમતભાઇ સરખેદીના નામની દરખાસ્ત કરવા સર્વાનુમતે ટેકો આપેલ. ઉપપ્રમુખ તરીકે વિજય ચૌહાણની વરણી કરાઇ હતી. મંત્રીપદે ધર્મેન્દ્રત્રિવેદી, ખજાનચીપદે રાજેશ કામદારની વરણી તેમજ સલાહકાર સમિતિમાં સુરેશભાઇ દેસાઇ, નિલેશ જાની, અતુલ કારીયા, રોમલ બુટાણી, અતુલ ચૌહાણ, રાજન જાની, જયેશભાઇ શાહ, મહેશભાઇ દવે, રવિભાઇ પટ્ટણી, અરવિંદભાઇ નિર્મળ અને પીઢ વરીષ્ઠ આગેવાન ઉમંગભાઇ છાંટબારની વરણી કરાઇ હતી. જિલ્લા તંત્રી સંઘના નવા હોદ્દેદારોનું રાજેશભાઇ હિંગુએ શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ. આ બેઠકમાં સાંપ્રત અતુલપુરી ગોસ્વામી, બી.બી.રાણવા, અભિષેક પટ્ટણી, જે.કે.કામદાર, રમણીકભાઇ સરખેડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન તથા નવા હોદ્દેદારોના સન્માનની તસ્વીર.