સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે વડીલ વંદના કાર્યક્રમ સંપન્ન

ભાવનગર :  ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે સ્વ.ન્યાલચંદભાઈ વકીલની પુણ્ય સ્મૃતિમાં ૨૮મી વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી આધ્યાત્માનંદજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ૭૦ વર્ષથી મોટી વયના તન-મનથી સ્વસ્થ અને આનંદમય જીવન જીવતા ૨૦૦ જેટલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી)

(11:52 am IST)