સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ચોટીલાના પોસ્ટમેન નવીનચંદ્ર નિમાવતનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૯: ચોટીલા રેફરલ હોસ્પિટલ પાછળ રહેતાં અને ત્યાંની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં નવીનચંદ્ર કેશવદાસ નિમાવત (બાવાજી) (ઉ.વ.૫૮) રાત્રે એકાદ વાગ્યે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ કે. ખાંભલા અને રવિભાઇએ ચોટીલા જાણ કરી હતી. મૃત્યુ પામનાર નવીનચંદ્રને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:49 am IST)