જેતપુરમાં વાછરડા પર એસીડ ફેકયું બે ભાઇઓ સામે પોલીસમાં ફરીયાદ
જેતપુર તા ૧૯ : જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં બે ભાઇઓએ વાછરડા ઉપર એસીડ ફેકતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા નાનજીભાઇ એ રાત્રીના ૧૦.૩૦ વાગ્યાના આરસામાં એક નાના વાછરડા ઉપર એસીડ છાંટેલુ હોયતે અંગે તપાસ કરતા એસીડ આજ વિસ્તારમાં રહેતા અંકીત હરીભાઇ લોહાણા તથા તેનો ભાઇ મેહુલ બન્નેએ એસીડ છાટયું હોવાનું માલુમ પડતા બંન્ને ભાઇઓએ તેમની સાથેે બોલાચાલી કરેલ આ અંગેની જાણ રાજુભાઇ આપાભાઇ ગીડાને થતાં તેમણે બન્ને ભાઇઓને ઠપકો આપતા બન્ને ભાઇઓએ વાછરડો કયાં તારા બાપનો છે તેમ કહી બોલાચાલી કરતા આ અંગેની ફરીયાદ શહેર પોલીસમાં નોંધાતા પોલીસે તેમની ફરીયાદ પરથી બન્ને ભાઇઓ વિરૂધ્ધ ગોૈવંશ ધારા ૧૯૬૦ -૧૧(૧) એ (ર) આઇ.પી.સી. ૨૯૪-ખ,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.