દ્વારકા જિલ્લામાં બે દિવસમાં દશ કોરોના પોઝીટીવ
પોઝીટીવ આંક થોડો ઘટયો, નવ ડીસ્ચાર્જ
ખંભાળીયા, તા. ૧૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંક ઘટયો છે. શનિવારે છ તથા રવિવારે ચાર મળીને બે દિવસમાં માત્ર ૧૦ કેસ જ થયા છે. જેમાં શનિવારે ખંભાળીયામાં ત્રણ તથા કલ્યાણપુર, ભાણવડ તથા દ્વારકામાં એક-એક થયા હતાં તથા શનિવારના ખંભાળીયામાંથી બે તથા ભાણવડમાંથી એક તથા રવિવારે ભાણવડમાંથી બે, કલ્યાણપુરમાં બે તથા ખંભાળીયા દ્વારકામાં એક-એક મળીને કુલ છ ડીસ્ચાર્જ થયા હતાં.
રાજપરા વાડી વિસ્તાર નાયરા કંપની વિભાગમાં બે-બે કેસ
બે દિવસમાં આવેલા કોરોના પોઝીટીવના ૧૦ કેસમાં નાયરા કંપનીના મજુર વિભાગમાં બે તથા રાજપરામાં બે કેસ નીકળ્યા હતાં તથા ઓખા ખંભાળીયામાં કેસો નવા નીકળ્યા હતાં.
આઠ નવા કન્ટેન્ટમેન્ટ ઝોન
દેવભૂમિ જિલ્લામાં બે દિવસમાં આઠ નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે જેમાં હર્ષદપુર ખંભાળીયા, કેનડી કલ્યાણપુર, મહાવીર, સોસાયટી, આરંભડા , તલાટી ચોક , દ્વારકા, ગાયત્રીનગર ખંભાળીયા આઝાદ ચોક ભાણવડના વિસ્તારોનો સમાવેશ થાય છે.