સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th October 2019

ભાવનગર જિલ્લાનાતળાજાના મોટાધાણા ગામે મહિલા કૂવામાં પડી જતા મોત

 ભાવનગર તા.૧૯: તળાજા ના મોટાધાણા ગામે પોતાનિજ વાડીના કૂવામાં પડી જતા મહિલા નું મોત નિપજેલ. કુવામાંથી મહિલા ને બહાર કાઢવા માટે તળાજા ફાયર ની ટિમ અને મામલતદાર દોડી ગયા હતા. દાઠા પોલીસે સ્થળ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવ અનુસંધાને તળાજા મામલતદાર ઝીલ પટેલ ના જણાવ્યા પ્રમાણે મોટાદ્યાણા ગામના ખેડૂત માણસુરભાઈ કામળિયા ના પત્નિ જાહુબેન ઉવ ૩૦ પોતાનીજ વાડીના કૂવામાં પડી ગયાની વાત ન આધારે તળાજા પાલિકા ના ફાયરકર્મીઓ મહિલા ને કુવામાંથી બહાર કાઢવા દોડી ગયા હતા. મહિલાના શબ ને બહાર કાઢવામાં આવેલ. મહિલા મગજની બીમારીથી પીડાતી હોવાનંુ પ્રાથમિક અહેવાલ પ્રમાણે જાણવા મળેલ.

દાઠા પો.સ્ટે.ના જયરાજસિંહ ચુડાસમા એ સ્થળપર જઇ ને કેસકાગળો ત્યાર કરેલ.

(11:53 am IST)