સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

કરાચી જેલમાં ઉનાના માછીમારનું મોત :સાથીદારે પત્ર લખીને જાણ કરી

 

પોરબન્દર :અરબી સમુદ્રમાં આઇએબીએલની વિસંગતતાનો ભોગ અનેક નિર્દોષ ભારતીય માછીમારો બનતા આવ્યા છે.ત્યારે પાકિસ્તાન મરીન એજન્સીએ ભારતીય સીમમાં ઘૂસી એક માછીમાર બોટના કરેલા અપહરણ બાદ કરાચી જેલમાં સબડતા એક ઉનાના કેદીનું કરાચીમાં મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે

 . ઘટના અંગે પાકિસ્તાની દુતાવાસ દ્વારા કે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મૃતકના પરિવાર જનોને જાણ કરવામાં આવી નથી. મૃતક માછીમારના સાથીદારે પોતાના ઘરે લખેલ પત્રમાં વિગતો ટાંકતા સમગ્ર ઘટના ઉજાગર થવા પામી છે. ઉનાના માછીમારના મૃત્યુના સમાચારને લઈને પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

(10:49 pm IST)