સોમનાથ દરીયામાં યુ.પી અમદાવાદના યુવક યુવતી તણાયાઃ યુવતીનું મૃત્યુ યુવક લાપતા
વેરાવળ, તા.૧૯: સોમનાથ દર્શનાર્થે આવેલા અમદાવાદ યુ.પી ના યુવક યુવતી તણાતા યુવતીનો મૃતદેહ મોડી સાંજે મળી આવેલ હતો જયારે યુવક લાપતા હોવાનું પોલીસે જણાવેલ હતું.
આ બનાવની વિગત એવી છેકે યુ.પી અમદાવાદ થી પરીવારજનો દર્શનાર્થે આવેલ હતા સંાજે સોમનાથ દરીયા કિનારે મોજાની મોજ માણવા માટે ગયેલ હતા તે વખતે જોરદાર મોજું આવતા ગોરખપુર યુ.પી ના પ્રેતા અરૂણકુમાર પાંડે ઉ.ર૦,અમદાવાદના કાર્તિકભાઈ અજયકુમાર પાંડે ઉ.૧૭ તણાય ગયેલ હતા આ બનાવ બનતા પરીવારજનોમાં રાડારાડ થયેલ હતી અને આજુ બાજુ લારી ગલ્લા વાળાઓ તેમજ તરવૈયાઓ બચાવવા માટે દોડી ગયેલ હતા એકાદ કલાક બાદ પ્રેતા ઉ.ર૦ નો મૃતદેહ મળી આવેલ હતો જયારે કાર્તિક ઉ.૧૭ રાત્રે ૯ વાગ્યા સુધી દરીયામાં લાપતા હતો આ બનાવ બનતા પોલીસ સીકયુરીટી,ફાયર ફાઈટર સહીત અનેક સેવાભાવી લોકો દોડી ગયેલ હતા આ બનાવ બનતા યાત્રીકોમાં શોકની લાગણી વ્યાપેલ છે.