સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

ધ્રાંગધ્રા કામદારોના આંદોલનનો સુખદ અંત

સુરેન્દ્રનગર, તા.૧૯: ધ્રાંગધ્રા ડીસીડબ્લુ કંપની સામે એક મહિનાથી કોન્ટ્રાકટર કામદારો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનના સમાધાન માટે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એક થઇ કામદારોના હીતમા વાત ચલાવી કંપની સાથે વાત કરી કંપનીએ માંગણીઓ સ્વીકારતા આંદોલનનો સુખદ સમાધાન થતા આનંદની લાગણી ફેલાઇ હતી. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઇ.કે.જાડેજા અને કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ સાથે મળી ડીસીડબ્લુ કંપનીના અધિકારીઓ સાથે વાત કરી હતી. આથી કામદારોના હીતમાં અને તહેવારોને ધ્યાનમાં લઇ કામદારોની જુદી જુદી માંગણીઓ સ્વીકારતા આગેવાનોએ કામદારોને પારણા કરાવતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

(3:37 pm IST)