વડાપ્રધાનના જન્મદિન પ્રસંગે
વાંકાનેર ગાયત્રી શકિતપાઠ ખાતે ભારતમાતા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું સ્થાપન કરાયુ
(નિલેષ ચંદારાણા) વાંકાનેર,તા.૧૯ : વાંકાનેર પ્રસિધ્ધ શ્રી ગાયત્રી શકિત પીઠના મંદીર પરિષરમાં ભારતના વડા પ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની યાદગાર ઉજવણી સાથે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા-બોર્ડ-વાંકાનેર તથા શ્રી ગાયત્રી શકિત પીઠ વાંકાનેર દ્વારા પુ. ગુરૂદેવના સ્થાનક આગળના ભાગે શ્રી ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની દિવ્ય મૂર્તિઓનું વૈદીક મંત્રોચાર સાથે પ્રતિષ્ઠા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ગાયત્રી શકિતપીઠના મુખ્ય સંચાલક અને મહંત અશ્વીનભાઇ રાવલ, નગરસેવકો, જયંતિભાઇ ધરોડીયા, ભાટી એન., રાજભા ઝાલા(અરણીટીંબા વાળા) ભગીરથસિંહ ઝાલા, વાંકાનેર નગર સંયોજક રાહુલ જોબનપુત્રા, ગાયત્રી પરિવરના શૈલેષભાઇ, સવાલાલ, અર્પુવભાઇ, પરેશ પટેલ, મહેશ માલકીયા, મહીપાલ સિંહ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટ્ય, પુષ્પવર્ષા સાથે ભાવવંદના કરી કોરોના મહામારીમાં સૌનું રક્ષણ થાય ભારતદેશ સર્વોચ્ય સ્થાને રાહે, મોદીનું દીર્ધાયુ સારૂ રહે, દરેક ક્ષેત્રે ભારત સફળ રહે તેવી પ્રાર્થના સૌ એ કરી હતી.