News of Thursday, 19th September 2019
ધારીનો ખોડિયાર ડેમ 80 ટકા ભરાયો : અમરેલી જિલ્લાના 33 અને ભાવનગર જિલ્લાના 10 ગામોને એલર્ટ કરાયા
નદી કાંઠાના ગામો અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની તંત્રની સૂચના
અમરેલી ધારીનો ખોડિયાર ડેમ 80 ટકા ભરાતા નિચાણવાળા ગામોને એલર્ટ અપાયું છે. નદી કાંઠાના ગામો અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની તંત્રની સૂચના આપી છે. 43 ગામડાઓને એલર્ટ કરવાનો તંત્રએ સંદેશો આપ્યો છે. અમરેલી જિલ્લાના 33 અને ભાવનગર જિલ્લાના 10 ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જળ સિંચન વિભાગે આ એલર્ટ આપ્યું છે.
(11:47 pm IST)