ધોરાજી પ્લાસ્ટીક એસો. દ્વારા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં રકતદાન
ધોરાજી : પ્લાસ્ટીક મેન્યુફેકચર એસોસીએશન દ્વારા રકતદાન કેમ્પ તેમજ સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે ધોરાજીના જમનાવડ રોડ ઉપર આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે પ્લાસ્ટીક ઉદ્યોગ પરીવારના તેજસ્વી તારલાઓને મંત્રી જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ ધડુક અને અગ્રણીઓ દ્વારા સન્માન કરેલ હતા. જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને જયેશભાઈ રાદડીયાએ દિપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો. અતિથિ વિશેષપદે એમ.બી. ડાગાપરા અને વજુભાઈ વઘાસીયા પ્લાસ્ટીક ઉદ્યોગના સલાહકાર અમદાવાદએ હાજર રહી માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ પ્લાસ્ટીક એસોસીએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડીયા, મંત્રી ગૌતમભાઈ વઘાસીયા, ખજાનચી જયસુખભાઈ ડોબરીયા, રાજેશ વીરડીયા, કેતન વૈષ્ણવ, વિનુ ભાયાણી, ગૌતમભાઈ ખુટ, હિતેશભાઈ વૈષ્ણવ સહિતના હાજર રહ્યા હતા. ચતુર્થવિધ કાર્યક્રમની તસ્વીરો.