વાંકાનેરના માટેલ-ચંદ્રપુરમાં વડાપ્રધાનના જન્મદિને નર્મદા નીરના વધામણા કરાયા
વાંકાનેરના ચંદ્રપુર અને માટેલ સહિત સાત જગ્યાએ નમામી દેવી નર્મદેના વધામણા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
ચંદ્રપુર ગામ પાસે મચ્છુ નદી પાસે અને માટેલ ગામે માટેલીયા ધરા પાસે યોજાયેલા કાર્યક્રમમાં વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા, પ્રાંત અધિકારી વસાવા, માટેલ ગામે માટેલ આઇશ્રી ખોડીયાર માતાજી મંદિરના મહંત રણછોડદાસજી બાપુ, ગુજરાત માટી કામ કલાકારી બોર્ડના ડીરેકટર સુરેશભાઇ પ્રજાપતિ, વાંકાનેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઇ કાકરેચા, મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી, માલધારી અગ્રણી ગોપાલભાઇ રાજગોર, પરેશભાઇ મઢવી, અર્જુનસિંહ ઝાલા, ચંદ્રપુર ગામના સરપંચ હરીશચંદ્રસિંહ ઝાલા, ટીનુભા, નાયબ મામલતદાર પટેલભાઇ, અમરશીભાઇ મઢવી સહિતના અગ્રણીઓ, ગ્રામ્યજનો, ગ્રામ પંચાયતના સદસ્યો વિગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
મચ્છુ નદીના નીર અને માટેલીયા ધરાના નવા નીરનું નમામી દેવી નર્મદેના જયનાદ સાથે શ્રીફળ, ચંુદડી-પુષ્પ સાથે વધામણા કર્યા હતાં.
આ ઉપરાંત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મ દિવસની ઉજવણી કરી શ્રેષ્ઠ ભારત-વિકાસશીલ ભારતના નારા સાથે સ્વચ્છ ભારતના સ્લોગ્ન સાથે એકબીજાના મોઢા મીઠા કરાવી જન્મ દિવસ અને નર્મદા મેયાને યાદ કરી જળ પૂજન કરવામાં આવેલ.