News of Monday, 19th August 2019
ભચાઉમાં ૪.રની તિવ્રતાનો ભૂકંપ
રાજકોટ, તા. ૧૯ : કચ્છમાં લાંબા સમય પછી ૪.રની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.
ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે બપોરે ર-૪૩ વાગ્યે ભચાઉથી દક્ષિણ દિશા તરફ ૬ કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
આ આંચકાનો અનુભવ અંજાર, ભૂજ, ભચાઉ, ગાંધીધામ, રાપર સહિતના વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
(4:05 pm IST)