સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

ઉપલેટા તાલુકા સંઘની ૧૩ બેઠકોમાં જયેશ રાદડિયા જુથ બિનહરીફ

રાજકોટ તા.૧૯: રાજકોટ શહેર તથા જીલ્લામાં સહકારીક્ષેત્ર ઉપર સતત બે દાયકા સુધી એકહથુ પ્રભુત્વ ધરાવતા સહકારી ખેડૂતનેતા શ્રી વિઠલભાઇ રાદડીયાની વિદાય. બાદ તેમના પુત્ર અને રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન શ્રી જયેશ રાદડીયાએ પણ પિતાના પગલે સહકારી ક્ષેત્રે ઉપર આગળ વધી રહ્યા છે ઉપલેટા તાલુકા ખરીદ-વેંચાણ સંઘની ૧૩ બેઠકોની ચુંટણી બિનહરિફ કરાવી શ્રી વિઠલભાઇ રાદડીયાના ખાલીપા બાદ સહકારીક્ષેત્રના આગેવાનોમાં નવી આશા જગાડી છે.

તેમણે બેંક સાથે સંકળાયેલી ૪૫૦ પૈકીની ૯૦ ટકા સહકારી મંડળીઓની ચુંટણી બિનહરીફ કરાવી સ્વ.વિઠલભાઇની માફક સહકારીક્ષેત્રમાં સહકારી સંસ્થા બિનહરીફ ડીરેકટરપદ મેળવીને જયેશ રાદડીયાએ સહકારીક્ષેત્રે તાકાત પુરવાર કરી દીધી છે.

(1:15 pm IST)