સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

દુકાન ચલાવવી હોય તો પ હજાર આપવા પડશે : માળીયા મિંયાણાના વેપારીને ધમકી

ધમકી આપનાર ઇસ્માઇલ જેડા અને આરીફ સામે પોલીસમાં ફરીયાદ

મોરબી, તા. ૧૯ : માળીયા મિંયાણાના મચ્છીના વેપારીને બે શખ્સોએ દ ુકાન ચલાવવી હોય તો પ હજાર આપવા પડશે તેમ કહી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.  માળિયાના રહેવાસી મુસ્તાક આદમ કટીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી ઇસ્માઇલ ઉર્ફે વલુ સાવદીન જેડા અને આરીફ ડાડા કટીયા રહે. પીરની ડેલી પાસે માળિયા વાળાએ ફરીયાદી મચ્ીનો ધંધો અને દુકાન ચલાવવી હોય તો રૂ. પ૦૦૦ આપવાનું કહેતા ફરીયાદીએ રૂપિયા આપવાની ના કહેતા આરોપીઓએ ગાળો આપી લાફા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે બંને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:12 pm IST)