સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

સોસાયટીની આસપાસના લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરાશે

ગોંડલ કર્મચારી સોસાયટીની બંને બાજુ મુકવામાં આવેલ દરવાજા હટાવવામાં નહીં આવે તો

ગોંડલ તા.૧૯ : ગોંડલ શહેરના જેતપુર રોડ પાસે આવેલ કર્મચારી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની બંને સાઇડ લોખંડના દરવાજા મૂકી સોસાયટી નો રસ્તો અન્ય રાહદારીઓ માટે બંધ કરાતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો આ દરવાજા તાકીદે હટાવવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ આંદોલન છેડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર રોડ જીઆઇડીસી ઉદ્યોગનગરના વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર તેમજ સિટી પોલીસ મથકને પત્ર લખી અરજ કરવામાં આવી છે કે કર્મચારી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની બન્ને સાઈડ લોખંડના દરવાજા મૂકી અન્ય રાહદારીઓ કે વાહન ચાલકો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે જેના કારણે જીઆઇડીસી ઉદ્યોગ નગરના વેપારીઓને ફોગટનો ફેરો ફરવો પડી રહ્યો છે અથવા અન્ય કોઇ રાહદારી દ્વારા આ દરવાજો ખોલી સોસાયટીમાંથી અવન જવાન કરવામાં આવે તો સોસાયટીના કેટલાક રહીશો દ્વારા માથાકૂટ કરવામાં આવી રહી છે અને જેના કારણે સુલેહ શાંતિનો ભંગ થઈ રહ્યો છે તો તાકીદે ઉપરોકત બંને દરવાજા દુર કરવા માંગ કરી હતી અન્યથા આમરણાંત ઉપવાસ આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(12:05 pm IST)