સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

જામનગરની ભાગોળે પ્રભાતનગર બેટમાં ફેરવાયું :ચોતરફ ચાર ચાર ફૂટ પાણી :ઘરમાં પાણી ઘુસ્યા :ઘરવખરી તણાઈ

જામનગરની ભાગોળે પ્રભાતનગર બેટમાં ફેરવાયું છે. બે બે દિવસથી વરસાડી પાણી મકાનોમાં ઘુસ્યા છે ધરવખરી પાણીમાં તરે છે.અહીયાના લોકો ત્રણ ત્રણ ફૂટ પાણી ની વચ્ચે જીવી રહ્યા છે. વરસાદ રહી ગયા ને ચોવીસ ચોવીશ કલાક વીતી ગયા છે. છતાં પ્રભાતનગરમાં ચાર ચાર ફૂટ પાણીના તળાવમાં તરે છે.


   જામનગરમાં ગુલાબનગરના પ્રવેશદ્રાર પાસે પ્રભાતનગર આવેલ છેમ પ્રભાતનગરની ચારે તરફ પાણી પાણી છે. પ્રભાતનગરમાં રોડ ઉપર ચાર ચાર ફૂટ પાણી વહી રહ્યા છે. પ્રભાતનગરમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેથી લોકોએ આ પાણીના ઉકેલ માટે મહાનગરપાલિકાના તંત્રને જાણ કરવા છતાં કોઈ સરકારી બાબુઓએ લોકોની શું સ્થિતિ છે તે જોવાની પણ દરકાર લીધી નથી તેવી ફરિયાદ રહેવાસીઓ કરી રહ્યા છે.

(12:08 am IST)