News of Thursday, 19th July 2018
વઢવાણમાં ઓરી-રૂબેલા રસી દીધા બાદ ૮ બાળકોની તબિયત લથડી
ચક્કર આવતા અર્ધ બેભાન હાલતમાં સારવારમાં
વઢવાણ તા.૧૯ : સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણની શાળામાં ઓરી-રૂબેલા રસીકરણ બાદ ૮ બાળકોની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણના શિયાણી પોળ વિસ્તારમાં આવેલ પ્રાથમીક શાળા નં. ૯માં રૂબેલા-ઓરી રસીકરણ કેમ્પ યોજાયો હતો.
જેમાં ધો. પ થી ૭ ના વિદ્યાર્થીઓએ રસી અપાયા બાદ ચક્કર આવવા લાગતા અને અર્ધબેભાન જેવી સ્થિતીમાં આવી જતા તાબડતોબ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા છ.
(3:39 pm IST)