સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ઉનામાં વરસાદનો વિરામ :ખત્રીવાડમાં હજુ પાણી :ખેતરો જળબંબોળ

ઉનામાં વરસાદે વિરામ લીધા બાદ વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉનાના ખત્રીવાડ ગામે હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખત્રીવાડમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોઈ શકાય છે. અને હજુ પણ ગામ સંપર્ક વિહોણુ છે. ખત્રીવાડને મુખ્ય શહેર સાથે જોડતા રસ્તા પર પાણી ભરાયાલા છે. ખેતરો પાણીમાં ગરકાવ છે.સાથે જ ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે.

(1:54 pm IST)